જામનગર જાયન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન તરફથી જામનગર ખાતે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

જામનગર, 

જામનગર ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન જામનગર દ્વારા જરૂરતમંદ લોકો ને અનાજ કિટ નુ વિતરણ કરવામાં આવ્યું. જાયન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન જામનગર ના પ્રમુખ સુનિતાબેન પુજાણી, સેક્રેટરી હર્ષાબેન રાવલ, માઘવભાઈ પુજાણી,

શારદાબેન વિંઝુડા (જામનગર મહિલા મોરચો પ્રમુખ, BJP), પ્રવિણાબેન રૂપડીયા (પત્રકાર-હિન્દ ન્યૂઝ), હિનાબેન અગ્રાવત (પત્રકાર-હિન્દ ન્યૂઝ), રિન્કલબેન ત્રિવેદી, નલિનીબેન પંડીયા, જાગ્રુતિ બેન પંડીયા દ્વારા કિટ મા ૫ કિલો ઘઉં, ૧ કિલો તેલ, ૧ કિલો ખાંડ, ૧ કિલો ચોખા, ૧ કિલો બટેકા, ૧ કિલો મીઠુ, ૧ કિલો ડુંગળી, ચા ની ભુકી, મરચાં પાઉડર, હળદર, ઘાણાજીરૂ, આટલી વસ્તુ કિટ મા વિતરણ કરવામાં આવ્યું.

વધુમાં સુનિતાબેન પુજાણી એ જણાવ્યું હતું કે આજે દુનિયા માં મહામારી બની ચુકેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે તેની સામે જરૂરતમંદ લોકો ને અનાજ કિટ નુ વિતરણ કરી કોરોના વોરિયર્સ બની ને જાયન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન જામનગર આ યુઘ્ધની ઢાલ બનીને જરૂરતમંદ લોકો સાથે ઉભુ છે અને રેહેશ.

રિપોર્ટર : પ્રવીણાબેન રૂપડીયા/વિજય અગ્રાવત, જામનગર 

Related posts

Leave a Comment